હું મંચ પર બેઠેલા કેટલાક વક્તાઓનો પણ આભાર માનું છું જેમણે પૂર્વના પ્રતિનિધીઓ (ડેલીગેટો)નો દાખલો
આપીને કહ્યું કે આ દૂર દૂરના દેશોથી આવતા માનવો જુદા જુદા દેશોમાં ટોલરેશનનો સંદેશ પહોંચાડવા માટે ગૌરવ લઈ શકે. જગતને જે ધર્મે ટોલરન્સ અને વૈશ્વિક સ્વીકાર એ બન્ને શીખવ્યાં છે એ મારો ધર્મ છે એ માટે હું ગર્વ અનુભવું છું. અમે માત્ર વૈશ્વિક ટોલરેશનમાં જ માનતા નથી પણ સર્વ ધર્મો સાચા છે માટે સ્વીકારીએ છીએ. હું એ દેશનો છું
જેણે બધા ધર્મોના અને જગતના બધા દેશોના ત્રાસ પામેલાઓને અને નિરાશ્રીત થયેલાઓને આશ્રય આપ્યો છે અને એ માટે હું ગર્વ અનુભવું છું. હું એ વાત કહેવાનું ગર્વ લઉં છું કે ઈઝરાઈલીઓના સૌથી પવિત્ર અવશેષને અમે અમારા હૃદયમાં એકત્ર કર્યા છે — રોમન જુલમે જે વર્ષમાં એમના પવિત્ર મંદિરના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા એ જ વર્ષમાં ઈઝરાઈલીઓ દક્ષિણ ભારતમાં આવ્યા અને અને અમારો આશ્રય લીધો. હું એ ધર્મનો હોવાનું ગૌરવ લઉં છું
કે જેણે મહાન ઝોરોએસ્ટ્રિયન રાષ્ટ્રના અવશેષને આશ્રય આપ્યો છે અને હજુ પણ એની સરાહના કરે છે.
(વધુ હવે પછી …)
Please click on the following for the info about SEPTEMBER 11: THE
DATE OF GLOOM AND GLORY!