રાધાકૃષ્ણના મંદિરમાં પ્રભાતમાં જાઓ, મધ્યાન્હમાં જાઓ કે સંધ્યાટાણે જાઓ; પ્રભુના હૈયાની પ્રતિચ્છવી સમી એક શ્વેત વસ્ત્રોમાં સોહાતી માનવમૂર્તિ ત્યાં દેખાશે જ. મંદિરમાં ઊંચી પાટ પર બેઠેલી એ જીવંત મૂર્તિ ચિત્તને ભાવવિભોર કરી મૂકશે. તમારું ધ્યાન પ્રભુની મૂર્તિ કરતાંય એમાં વિશેષ મગ્ન થશે. પ્રભુની મુર્તિમાં તો માત્ર કલા જ છે, પણ આ મૂર્તિમાં તો કલા અને પ્રાણ બેઉ છે.
હું એક દિવસ એ મંદિરમાં ગયો ત્યારે પ્રભુનાં દર્શન મેં ન કર્યાં! પ્રભુની મૂર્તિ તરફ પીઠ રાખીને હું ઊભો રહ્યો. પેલી માનવમૂર્તિને હું એકી નજરે નીહાળી રહ્યો. એ બીડાયેલાં લોચન ન ખૂલ્યાં…. એ નીચે ઝૂકેલું મસ્તક ઊંચું ન થયું…. કૃષ્ણોચ્ચારથી ફફડતા ઓષ્ઠ થંભ્યા નહીં…. ને છતાંય હું એને તાકી રહ્યો. મંદિરમાં ભક્તો આવ્યે જ જતા હતા…. ને છતાંય મારી પીઠ તો પ્રભુ તરફ જ હતી.
કોઈએ મને નાસ્તિક કહ્યો!
(વધુ હવે પછી …)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.