હશે ક્યાંક છિદ્રોમાં કોઈ પુરાણ જ,
કદી વાંસળી આ બરાબર ન વાગી.
વાંસળીની વાત થાય ત્યારે શ્રી કૃષ્ણ યાદ આવે જ. આદિલને હું ‘કૃષ્ણની વાંસળી વાળા કવિ’ કહું છું. એમની કૃષ્ણ-ગઝલનો શેર યાદ આવે છેઃ
વાંસળી પડઘાય આખ્ખા ગામમાં
કૃષ્ણ એવું શું છે તારા નામમાં
(જણાવવાની રજા લઉં છું કે ગુજરાત ફાઉન્ડેશન તરફથી પ્રગટ થનાર મારા પુસ્તક આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન માં આદિલની કૃષ્ણ-ગઝલના પાંચે શેરો વિશે લખ્યું છે.)
પણ કૃષ્ણની વાંસળીનાં છિદ્ર પુરાયેલાં નહોતાં. અને એને ઓષ્ઠ પર ધારણ કરીને વગાડનાર હતા કૃષ્ણ — અને એટલે તો એના સૂર આખ્ખા વૃંદાવનમાં પડઘાય છે — અને એ પડઘા પછી પ્રસરે છે બ્રહ્માંડમાં!
પણ આ કાયાની વાંસળી કેમ બરાબર વાગતી નથી? ક્યાંક છિદ્રોમાં પુરાણ હોવાં જોઈએ.
અહંકારનાં પુરાણ એમાં છે?
તન અને મનની વાંસળીનું સ્વાસ્થ સારું હોવું જોઈએ. પ્રભુએ આપેલાં સાધનો છે એ સાધના કરવા માટે.
અને પછી વાંસળી જરૂર વાગશે, અને એ સંગીત મધુર પણ હશે.
આ શેર પણ ખૂબ જ ગમ્યોઃ
હજી એ કળાતો નથી કંઈ બરાબર,
હજી કાંચળી પૂરી ક્યાં એણે ત્યાગી ?
(સર્જાતા જતા પુસ્તક વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના ૫૦ શેરો વિશે રસમય વાંચન માંથી.)
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોને આપ non-commercial ઉપયોગ માટે કોપી પેસ્ટ કરી શકો છો. લખનારનું નામ તથા લીંક આપશો.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
The original words of Girish Parikh in this post:
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.