“મહાગ્રંથના સર્જકોને યોગ્ય પુરસ્કાર કઈ રીતે આપશો?” આ મેં જૂન ૧૯ના રોજ આ બ્લોગ (www.GirishParikh.wordpress.com) પોસ્ટ કરેલું તથા “સ્ંવર્ધન માતૃભાષાનું” બ્લોગ પર કોમેન્ટ તરીકે મોકલેલું — હજુ સુધી એ પોસ્ટ થયું નથી! ખેર!
લેખકોને એમનાં લખાણની ક્વોન્ટીટી તથા ક્વોલીટી — બન્નેને લક્ષમાં લઈ કઈ રીતે યોગ્ય પુરસ્કાર આપી શકાય એ વિશે મેં અગાઉ જણાવેલા પોસ્ટ/કોમેન્ટમાં રજૂ કરેલું.
પુરસ્કાર આપવાની આ પદ્ધતિને “પરીખ પુરસ્કાર પદ્ધતિ” (Parikh Pay Procedure — PPP) કહી
શકાય.
સરસ્વતીમાતાની કૃપાથી “સંવર્ધન માતૃભાષાનું”ના સર્જકોએ સર્જન કર્યું છે. હવે પ્રાર્થના કરું છું કે લક્ષ્મીમાતાની કૃપા પણ એમના પર થાય.
અલબત્ત, “પરીખ પુરસ્કાર પદ્ધતિ” મુજબ સર્જકોને પુરસ્કાર આપી આ પદ્ધતિ વાપરવામાં “સંવર્ધન માતૃભાષાનું”ના પ્રકાશક તથા આયોજકો પાયોનિયર થઈ શકે.
પુરસ્કાર આપવા અંગે આર્થિક બાજુ વિશે હવે પછી લખીશ.
“સંવર્ધન માતૃભાષાનું”ની લીંકઃ