સચિવ બૈદ ગુર તીનિ જૌં પ્રિય બોલહિં ભય આસ,
રાજ ધર્મ તન તીનિ કર હોઇ બેગિહીં નાસ.
‘સુંદરકાંડ’ની આ ચોપાઈ.
મંત્રી, વૈદ કે ડોક્ટર, ગુરુ — ત્રણે જો સાચું ન કહે તો પરિણામ શું આવે?
રાજ્યનો વિનાશ થાય.
દર્દીનું મૃત્યુ થાય.
શિષ્યનું કલ્યાણ ન થાય.
પણ સચિવ વૈદ ને ગુરુ પ્રિય વાણીમાં સત્ય કહી શકે. એમણે અસત્ય તો ન જ કહેવું જોઈએ.
વૈદ વિશેનું શ્રી રામકૃષ્ણ પરમહંસનું દૃષ્ટાંત યાદ આવે છેઃ
વૈદ માને કહે છે કે તારા માંદા દીકરાને બચાવીશ. પણ ભગવાન મનમાં હસે છેઃ એનું મૃત્યુ થવાનું છે, અને વૈદ કેવું વચન આપે છે. એ જાણે છે કે એની માંદગી જીવલેણ છે પણ વૈદ સાચું કહેતો નથી!
(વધુ હવે પછી …)