દેહસૌંદર્યનું દર્શન માનવીના દેહમાં આનંદ ભરી દે છે, ને આત્માનું દર્શન એના આત્માને ઊંચે લઈ જાય છે. એમ નથી લાગતું કે એક દર્શનમાંથી બીજા દર્શનમાં જઈ શકાય?
[મારી અપ્રગટ વાર્તા “કાર્ય અને પ્રતિકાર્ય”માંના રદ કરેલા ભાગમાંથી સાચવેલી એક વિચાર-કણિકા]
દેહસૌંદર્યનું દર્શન માનવીના દેહમાં આનંદ ભરી દે છે, ને આત્માનું દર્શન એના આત્માને ઊંચે લઈ જાય છે. એમ નથી લાગતું કે એક દર્શનમાંથી બીજા દર્શનમાં જઈ શકાય?
[મારી અપ્રગટ વાર્તા “કાર્ય અને પ્રતિકાર્ય”માંના રદ કરેલા ભાગમાંથી સાચવેલી એક વિચાર-કણિકા]
મને ઘણીવાર વિચાર આવે છે કે માનવીની જિંદગી જ જ્યારે નાટક છે ત્યારે એને નાટક જોવાની ઈચ્છા શા માટે થાય છે?
આનો જવાબ જ્યારે હું અરીસામાં જોઉં છું ત્યારે મળી જાય છે. માનવી અરીસામાં જોયા વિના જીવી શકે છે પણ એને અરીસામાં જોયા વિના નથી ચાલતું — એ જ મુજબ નાટક છે જિંદગીનો અરીસો. એ જોયા વિના માનવીને ચાલે ખરું?
જેમ તાળા વિનાની ચાવી નકામી ને ચાવી વિનાનું તાળું નકામું એમ જ સ્રી અને પુરુષ વિશે પણ હશે કે શું?