આપ જાણો છો કે ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તકનાં લખાણ તૈયાર છે. આપે આ બ્લૉગ (
www.girishparikh.wordpress.com) પર અને અન્યત્ર એ વાંચ્યાં પણ હશે. ન વાંચ્યાં હોય કે પૂરાં ન વાંચ્યા હોય તો એ વાંચવા અને આપના પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
આ લેખમાળામાં ‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તક પ્રકાશન અને પ્રસાર/પ્રચારના રોમાંચક પ્રોજેક્ટ વિશે લખતો રહીશ.
પુસ્તક ત્રણ રીતે પ્રકાશિત થઈ શકે એમ મને લાગે છે. (એ ઉપરાંત કોઈ રીતો હોય તો જણાવવા વિનીતી કરું છું.)
— પ્રકાશક પોતાના ખર્ચે પ્રકાશન કરે અને પ્રચાર, પ્રસાર, અને વેચાણ કરે.
– – એક કે બે સ્પોન્સોર પ્રકાશકને ખર્ચનાં અમુક ટકા (દાખલા તરીકે ૫૦%) નાણાં આપે અને બાકીનું ખર્ચ પ્રકાશક કરે.
– – એક કે બે સ્પોન્સોર પ્રકાશકને ૧૦૦% ખર્ચ આપે.
અલબત્ત, પ્રથમ રીત આદર્શ છે. પ્રકાશકે પૂરાં નાણાં રોક્યાં હોવાથી વેચાણ કરવાનું એમને મોટીવેશન રહે. એ રીતનો પ્રકાશક ન જ મળે એમ હોય તો બીજી રીત, અને એ પણ કામ ન કરે તો ત્રીજી રીત વાપરી શકાય.
સ્પોન્સોરના પુસ્તકમાં ફોટા તથા એમના વિશેની ટૂંકી માહિતિ મૂકી શકાય. એમને અમૂક નકલો પણ આપી શકાય.
પુસ્તક પ્રકાશન તથા પ્રસાર-પ્રચારના કુલ ખર્ચનો અંદાજ કોઈ અનુભવી તૈયાર કરે તો સરસ. મારા ખ્યાલ મુજબ નીચેની આઈટેમોની જરૂર પડશેઃ
— મેન્યુસ્ક્રીપ્ટ
www.girishparikh.wordpress.com બ્લૉગ પર છે. ૭૨ શેર વિશેનાં ૭૨ લખાણ, પ્રસ્તાવના, આદિલ વિશે, અને ગિરીશ પરીખ વિશે; એમ ૭૫ આઈટેમો છે. એક વધારાની આઈટેમ છે જે પુસ્તક પ્રચાર અને પ્રસારમાં ઉપયોગી થઈ શકે.
– – મેન્યુસ્ક્રીપ્ટ મઠારવામાં ખાસ મહેનતની જરૂર નહીં પડે એમ માનું છું, પણ જોડણી, વ્યાકરણ, વગેરે કોઇ નિષ્ણાત પાસે સુધરાવવાં જોઈશે.
– – ૭૨ શેરોનાં લખાણને યોગ્ય ક્રમમાં ગોઠવવાનાં છે.
– – શેર સૂચી મેં તૈયાર કરી છે જે ચેક કરવાની છે.
– – કવરોની ડિઝાઈન, અંદરના ફોટા, સુશોભનો, વગેરે તૈયાર કરવાનાં છે. કેટલાક બહુરંગી ફોટા આદિલજીએ જેમાં ભાગ લીધેલો એ મુશાયરાઓના આપવા વિચાર્યું છે. આ ફોટા મેળવવા પડશે.
– – એ પછી પ્રેસ માટે મેન્યુસ્ક્રીપ્ટ તૈયાર કરવી પડશે.
– – પ્રચાર, પ્રસાર, અને વેચાણનું આયોજન અત્યારથી જ કરવા માંડવું જોઇએ. આ માટે બજેટ બનાવવું જોઇએ.
આદિલજીને વતન અમદાવાદ અત્યંત પ્યારું હતું એટલે પ્રકાશકની મુખ્ય ઓફિસ અમદાવાદમાં હોય તો સરસ.
મે ૧૮, ૨૦૧૧ ના રોજ અને એ પછી આદિલજીની ૭૫મી જન્મજયંતી ગુજરાત અને ગુજરાતની બહારનાં કેટલાંક શહેરોમાં ઉજવાશે. પુસ્તકનું પ્રથમ વિમોચન મે ૧૮, ૨૦૧૧ના રોજ અમદાવાદમાં થાય તો સરસ.
પુસ્તક કોને અર્પણ કરવું એ હજુ ફાઇનલ કર્યું નથી. સજેશન્સ મોકલવા વિનંતી કરું છું.
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.