આ લખી રહ્યો છું ત્યારે મારા ટેબલ પર હર્ષદભાઈએ લખેલું ‘ક્રાન્તિ” પુસ્તક છે. અમદાવાદમાં નવેમ્બર ૮, ૧૯૯૮ના રોજ હસ્તાક્ષર (ઓટોગ્રાફ) કરીને એમણે મને સપ્રેમ ભેટ આપેલું. એ ઉપરાંત વિપશ્યના વિશેનાં પુસ્તકો પણ ભેટ આપેલાં.
‘ધરતી’નો નવેમ્બર ૨૦૧૬નો અંક મને મ્ળ્યો નથી પણ ડિસેમ્બરનો અંક મળતાં હર્ષદભાઈના દુઃખદ અવસાન વિશે જાણ્યું.
મારા પૂજ્ય મોટા ભાઈ સ્વ. મણિભાઈ પૂજ્ય હર્ષદભાઈના પડોશી હતા. મણિભાઈ તથા મારા બીજા પૂજ્ય મોટા ભાઈ સ્વ. નટવરભાઈ વિપશ્યના-સાધકો હતા તથા પૂજ્ય હર્ષદભાઈ સાથે એમનો આત્મિય સંબંધ હતો.
હર્ષદભાઈએ મારી સ્વ. રતિલાલ સાં નાયક સાથેની મુલાકાત ગોઠવી આપેલી જે સદાય યાદ રહેશે.
મારા સ્વ. પૂજ્ય પિતાજી હરિભાઈ જ. પરીખ હર્ષદભાઈના પિતાજી સ્વ. પોપટલાલ ગુલાબદાસ પટેલની સમાજસેવા વિશે મને વાતો કરતા. એમના સંસ્કાર હર્ષદભાઈમાં સાકાર થયા હતા.
ધરતી વિકાસ મંડળને એક નમ્ર વિનંતી કરું છુંઃ હર્ષદભાઈનું જીવનચરિત્ર તૈયાર કરાવીને પ્રગટ કરો. એ ખૂબ જ પ્રેરણાદાયક થશે.
પ્રભુને પ્રાર્થના કરું છું કે હર્ષદભાઈના આત્માને શાંતિ આપો તથા એમનાં આદર્શ જીવનસાથી હંસાબહેન, કુટુંબીજનો, મિત્રોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપો.