રસથાળ
અહા
ભરીઓ
રસથી !
નોંધઃ કિશોર વયમાં બાલગીત સંગ્રહ તૈયાર કરવાની ઇચ્છા હતી, અને એનું નામ વિચાર્યું હતું ‘રસથાળ’. ઉપરની પંક્તિઓ સ્ફૂરી હતી જે એના અગ્રપૃષ્ઠ પર મૂકવી હતી.
રસથાળ
અહા
ભરીઓ
રસથી !
નોંધઃ કિશોર વયમાં બાલગીત સંગ્રહ તૈયાર કરવાની ઇચ્છા હતી, અને એનું નામ વિચાર્યું હતું ‘રસથાળ’. ઉપરની પંક્તિઓ સ્ફૂરી હતી જે એના અગ્રપૃષ્ઠ પર મૂકવી હતી.
ગાંધી
શક્તિ
રામ
નામ …
આ લખી રહ્યો છું ત્યારે મારા ટેબલ પર છે સંગીતના કાર્યક્રમનું ફ્લાયર જેના શરૂઆતના શબ્દોઃ “GRAND MUSICAL EVENING WITH THE MAGICAL VOICE OF ATUL DESAI — HINDUSTANI CLASSICAL VOCAL — SEMICLASSICAL GAZALS & SONGS”. (ભવ્ય સંગીતસંધ્યા અતુલ દેસાઈના જાદુઈ સ્વરમાં — હિંદુસ્તાની શાસ્ત્રીય કંઠ સંગીત — સેમાઈક્લાસિકલ ગઝલો અને ગીતો).
શિકાગોના સબર્બ શામબર્ગમાં ડો. અશરફ ડબાવાલા તથા ડો. મધુમતી મહેતાના નિવાસસ્થાને આ કાર્યક્રમ ઓક્ટોબર ૫, ૧૯૯૬ના રોજ યોજાયો હતો.
આ કાર્યક્ર્મના આયોજનમાં આ લખનારને મદદ કરવાનો લહાવો મળ્યો હતો — એનું નામ પણ ફ્લાયરમાં છે.
અતુલ દેસાઈના જાદુઈ સ્વરને મન ભારીને માણતાં પચાસના દાયકાની શરૂઆતમાં અમદાવાદની ગુજરાત કોલેજમાં ભણતો હતો એ દિવસો યાદ આવ્યા — અતુલ દેસાઈ પણ એ વખતે ગુજરાત કોલેજમાં વિદ્યાર્થી હતા, અને કોલજના કાર્યક્રમોમાં એમને ગાતા સાંભળેલા ત્યારે જ લાગેલું કે એ ભવિષ્યમાં મહાન ગાયક થશે.
કાર્યક્રમ દરમિયાન એમની સાથે ગુજરાત કોલેજનાં સ્મરણો તાજાં કર્યાં હતાં.
હમણાં જ tahuko.com પર વાંચ્યું કે જાન્યુઆરી ૨૦, ૨૦૧૩ના રોજ હૃદયરોગના હુમલાથી એમનું અવસાન થયું.
પંડિત અતુલ દેસાઈના આત્માને પ્રભુ પરમ શાંતિ આપે, એમના પરિવારને તથા એમના અનેક ચાહકોને આ દુખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું.
જય
ગઝલ
જય
હઝલ !
છે
અંધારામાં
પ્રકાશ
આદિલ !
જીવન
ધન્ય
બનાવો
પ્રભુજી.
શબ્દનિકેતન
ધનનિકેતન
આરોગ્યનિકેતન
શાંતિનિકેતન …
હિમાચ્છાદિત
હિમાલય
ગઝલમંડિત
ગઝલાલય !
સાહિત્યનિકેતન
સંગીતનિકેતન
કલાનિકેતન
શાંતિનિકેતન …
છે
‘નામ
તારું
રુદ્રાક્ષ
પર’ ….