“બહેન આરતી, તારા નસીબમાં કોણ જાણે કોનીય આરતી ઉતારવાની હશે. ઘૂંઘટપટમાં મુખડું છુપાવે છે એમ તારાં દુ:ખડાંય નહીં છુપાવતી. આરતી, તારી નાની બહેન છું તોય આજની જેમ તારો ઘૂઘટ ખોલી બધુંયે જાણી લઈશ. હજુ તું આ અસ્મિતાને ઓળખતી નથી.”
ઘૂંઘટકા પટ ખોલ રે (૨૨)
માર્ચ 28, 2018ઘૂંઘટકા પટ ખોલ રે (૨૧)
માર્ચ 21, 2018ઘૂંઘટકા પટ ખોલ રે (૨૦)
માર્ચ 17, 2018ઘૂંઘટકા પટ ખોલ રે (૧૮)
માર્ચ 8, 2018ઘૂંઘટકા પટ ખોલ રે (૧૭)
માર્ચ 7, 2018ઘૂંઘટકા પટ ખોલ રે (૧૬)
માર્ચ 5, 2018ઘૂંઘટકા પટ ખોલ રે (૭)
માર્ચ 5, 2018અસ્મિતા હવે મોટી થતી જતી હતી. ધીરે ધીરે એને બહેનના કેટલાક વિચારો ન ગમ્યા. બધાં બાળકોના વિચારો એમની બાલ્યાવસ્થામાં એક હશે કદાચ, પણ એ જ બાળકો મોટાં થયા પછી એમના વિચારો એકસરખા નથી રહેતા. એટલે જ બાળકના હૃદયમાં ભગવાન નિર્દોષતા રૂપે વસે છે એમ મનાય છે.
આગલા ખંડમાં એક વખત બા અને બાપુજી આરતીનાં લગ્નની જ વાતો કરતાં હતાં. ચોપડી વાંચતાં વાંચતાં આરતી શરમાઈને ચંપા નીચે આવી ગઈ. અસ્મિતા પણ બહેનની પાછળ પાછળ આવી.
આ વાર્તા નથી! (૨)
માર્ચ 3, 2018આ વાર્તા નથી!
માર્ચ 2, 2018‘આ વાર્તા નથી’ એમ કહી વાર્તા જ કહેવાની કલા પણ હવે તો જૂની થઈ ગઈ! ને એટલે જ વાર્તા વાંચવાની ઈચ્છા હોય તો ઉપર ઉપર નજર ફેરવવાને બદલે… ના, ના, પાનું ઉલટાવી નાખો છો? એના કરતાં વાંચી જ નાખોને!
આ વાર્તા નથી. નથી જ વળી! આને વાર્તા કોણ કહેશે? ને જ્યાં લેખક જ એને વાર્તા ગણાવવા તૈયાર ન હોય ત્યાં સંપાદક તો ક્યાંથી જ હોય?
આ વાર્તા નથી એમ ફરીથી કહું છું. વાર્તાકલાના ક્ષેત્રમાં નવીનતા આણવાનો–એ ટેકનીકમાં અવનવા પ્રયોગો કરી સાહિત્યકલાનું કોઈ નવું જ સ્વરૂપ શોધવાનો ઘણાને આ પ્રયાસ લાગશે! ને ઘણાને એ પણ ચોક્કસ લાગશે કે આ વાર્તા નથી એનો સબળ પુરાવો એ જ છે કે આ કૃતિ એકાદ બે વાર્તામાસિકો તરફથી પાછી ફરશે જ એવી મને અત્યારથી ખાત્રી છે. આ લખતી વખતે ખ્યાલ ક્યાંથી હોય કે ક્યાં પ્રકટ થશે. પણ એટલું તો ચોક્કસ છે કે એ વાર્તામાસિકમાં તો નહીં જ પ્રકટ થાય; ને કદાચ થશે તો એ વાર્તા નહીં હોવાના જ કારણે!
પાછી ફરવાનું કારણ પહેલાં આપી દઉં?
સંપાદકો ત્રણ જાતના હોય છેઃ
જાત પહેલીઃ જે પોતાની જાતને સર્વજ્ઞ માનતા હોય છે. એમને ગમે, પસંદ પડે, ખુશ કરે એવી જ ક્રુતિઓ એ સ્વીકારતા હોય છે.
[આ પદ્ધતિ સારી છે, પણ પછીથી એમને ખુશ કરે એવા જ લેખકોની કૃતિઓ એ સ્વીકારતા થઈ જાય છે!]
જાત બીજીઃ જે પોતાના વાચકવર્ગની રુચિને ધ્યાનમાં લઈને જ કૃતિ પસંદ કરે છે. પછી એ ગમે તેની હોય.
[સંપાદકો મોટે ભાગે પોતાના વાચકવર્ગનું માનસ ઘડી શકતા નથી. પણ માત્ર એમની વૃતિઓ અને રુચિઓને જ પંપાળે છે.]
જાત ત્રીજીઃ જેની પાસે કોઈ ઓક્કસ નીતિ નથી. કોઈ વાર કોઈ વાર્તા પોતાને ગમે તો લઈ લ્યે, કોઈ વાર પોતાને ગમે પણ વાચકવર્ગને નહીં ગમે એમ ધારીને પાછી ઠેલે.
[જાત પહેલી + જાત બીજી = જાત ત્રીજી!]
હવે પહેલા વર્ગના સંપાદકોને ખુશ કરવાની શક્તિ મારી વાર્તાના સ્વભાવમાં નથી! કારણ, કોઈ વાર્તા મોકલ્યા પછી એ સ્વીકારાય કે ન સ્વીકારાય પણ હું સંપાદકની મુલાકાત અવશ્ય લઉં છું, ને પ્રથમ મુલાકાતે જ એમને નારાજ કરી દઉં છું. પરિણામે સ્વીકારાયેલી મારી વાર્તા પાછી મળે છે ને જેનો નિર્ણય સંપાદક મહાશય ઝટ નથી કરી શક્યા હોતા એનો નિર્ણય એ ઝટ કરી શકે છે–વાર્તા પરત કરીને!
બીજી જાતના સંપાદકોને પણ હું સંતોષી શકતો નથી, કારણ કે વાર્તા લખતાં અને લખી રહ્યા પછી હું હંમેશાં મારી જાતનો જ વિચાર કરતો હોઉં છું. વાર્તા મને ગમે છે કે નહીં? ને મને ગમે તો હું જગતમાં કોઈની પણ પરવા કરતો નથી! પરિણામ એ આવે છે કે જગતમાં મારી જ કોઈ પરવા કરતું નથી!
ઉપલા બન્ને જાતના સંપાદકોના સ્વભાવનું સંમેલન એટલે ત્રીજી જાત! ને પેલા બેને ન સંતોષી શકું તો ત્રીજાને તો ન જ સંતોષી શકુંને!
ને પરિણામે મારી વાર્તા છપાતી જ નથી, અને આખરે હું મન મનાવું છુંઃ એ વાર્તા જ નહોતી પછી કેવી રીતે છપાય! ને હુંય જે વાર્તા ન કહેવાય એવું જ લખવા પ્રેરાઉં છું, જેમાંનું આ એક છે–જે વાર્તા નથી.
(વધુ હવે પછી …)