ગાંધીજીના અનુયાયી, ભારતની આઝાદીની લડતમાં ભાગ લેનાર, સમાજ સેવક બાપુ (રણછોડભાઈ પટેલ) નું જુલાઈ ૨૨, ૨૦૧૩ના રોજ લોસ એન્જલસ, કેલિફોર્નિયામાં અવસાન થયું છે. એમનો જન્મ ઓગસ્ટ ૧, ૧૯૧૫ના રોજ ભારતમાં થયો હતો.
રણછોડભાઈએ ૧૯૩૫ અને ૧૯૪૭ દરમિયાન (એમની ૨૦થી ૩૨ વર્ષની ઉંમરમાં) મહાત્મા ગાંધી (ગાંધીજી જેમને સહુ બાપુ પણ કહેતા)ના નેતૃત્વ નીચેની બ્રીટીશ સલ્તનત સામેની ભારતની આઝાદીની લડતમાં સક્રિય ભાગ લીધો હતો.
એમણે ગાંધીજીનો સંદેશ ગામડાંઓમાં પહોંચાડ્યો હતો, ગામડાંઓના અર્થતંત્રને સધ્ધર કરવા સહાય કરી હતી, અને હિંદુ વર્ણોમાં ઘર કરી ગયેલા અસ્પૃશતાના નિવારણ માટે પ્રયત્નો કર્યા હતા.
એ પોતાનાં કપડાં માટે રૂ કાંતતા અને ઈગ્લેન્ડથી ભારતમાં આયાત થતાં કપડાંની હોળી કરવામાં ભાગ લેતા.
એમના ઘરમાં એ વારંવાર અસ્પૃશ્ય ગણાતા (જેમને ગાંધીજીએ હરિજન નામ આપ્યું હતું) લોકોને જમવા આમંત્રણ આપતા. અમદાવાદથી દક્ષિણમાં ૨૦ માઈલ દૂર આવેલા એમના ગામ બાવળામાં થતી ટીકાઓને એ સહન કરી લેતા
(વધુ હવે પછી …).
પ્રતિસાદ આપો