Archive for the ‘આદિલના શેરોનો આનંદ’ Category

આનંદ વિસ્તરો … (ચતુર્શબ્દ મુક્તક)

April 25, 2012

આદિલના

શેરોનો

આનંદ

વિસ્તરો …

‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો …

April 24, 2012

અક્ષય તૃતીયા (અખાત્રીજ)  મંગળવાર એપ્રીલ ૨૪, ૨૦૧૨

શ્રી ગણેશ કર્યા છે આજે આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તકના વિતરણના.

શ્રી ગણેશ કરું છું આજે ‘આદિલના શેરોનો આનંદ’ સર્વત્ર વિસ્તરો  …’ નામના આ બ્લોગ (www.girishparikh.wordpress.com) પરના નવા વિભાગના. પુસ્તક મેળવવા વિશેની માહિતિ આ વિભાગના આ પછીના બે પોસ્ટમાં આપી છે.

‘ADILNA SHERONO ANAND’: APPEAL TO SUPPORT THE PUBLICATION AND DISTRIBUTION OF THE BOOK

April 24, 2012
With the grace of God, Mother Saraswati, Mother Gurjari, Mother tongue, and blessings of Adil the book Adilna Sherono Anand  (Joy of 72 couplets from the ghazals of Adil Mansuri) is to be published on Friday, May 18, 2012, Adil’s 76th birthday.There will be vintage photographs in full color in the book.
My two American friends are helping me to get the book published.
Let maximum number of Gujaratis enjoy the shers (couplets) from the ghazals (and later entire ghazals) of our beloved shayar (poet)  Adil, is the goal of the book.
I appeal to you to help in the publication and promotion of the book.
Whatever money I would get as author/editor of the book, I would use it for Sri RamaKrishna Parivar (SRKP), and for noble works.
To each one who sends $15 from the US and reaches us on or before Friday, May 18, 2012; we would send the PDF Edition of the book by E-mail; and would mail one copy of the printed book when it is printed. The name of each one (up to 76 names) who sends $15 and reaches us on or before May 18, 2012 will be printed in the book.
Address to send $15:
Girish Parikh
Author & Journalist
2813 Cancun Drive
Modesto  CA 95355
E-mail: gparikh05@gmail.com
As soon as you mail $15, please let us know by E-mail on which date and from which city did you mail. Please also write your complete mailing address for mailing the printed book , and your telephone number. (Please make the check payable to Girish Parikh).
To know more about the book ADILNA SHERONO ANAND, please visit the Blog
www.girishparikh.wordpress.com and click on ‘આદિલના શેરોનો આનંદ’ Department.
I request you to publish this appeal in your periodical, and post it on your Blog / Web site.
–Girish Parikh
   Tuesday, April 24, 2012 Akhaya Trutiya

‘આદિલના શેરોનો આનંદ’: પુસ્તક પ્રકાશન અને પ્રસારમાં સહકાર આપવા અપીલ

April 24, 2012

પ્રભુકૃપા, મા સરસ્વતી, મા ગુર્જરી, માબોલી (માતૃભાષા ગુજરાતી) તથા આદિલના આશીર્વાદથી આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તક શુક્રવાર, મે ૧૮, ૨૦૧૨; આદિલના ૭૬મા જ્ન્મદિને પ્રથમ પીડીએફ (PDF) બૂક તરીકે પ્રગટ કરવું છે. એ પછી પુસ્તક છપાવવું છે. પુસ્તકમાં યાદગાર રંગીન તસ્વીરો પણ મૂકવી છે.

પુસ્તકનું પ્રકાશન કરવામાં બે અમેરિકન મિત્રો મદદ કરી રહ્યા છે.

આપણા લાડીલા શાયર આદિલના શેરોનો (અને પછી ગઝલોનો) આનંદ વધુમાં વધુ ગુજરાતીઓ માણે એ ધ્યેય છે. પુસ્તકના પ્રકાશન થતા પ્રસાર કરવામાં આપનો સહકાર આપવા અપીલ કરું છું.

આ પુસ્તકના લેખક-સંપાદક તરીકે મને જે રકમો મળશે એ શ્રી રામકૃષ્ણ પરિવાર તથા સદકાર્યોમાં વાપરવામાં આવશે.

મે ૧૮, ૨૦૧૨ સુધીમાં અમેરિકામાંથી નીચેના સરનામે ૧૫ ડોલર મોકલનારને પુસ્તકની પીડીએફ એડીશન (ઈ-મેઈલથી) તથા પુસ્તક છપાશે ત્યારે એની એક નકલ મોકલી આપવામાં આવશે. મે ૧૮, ૨૦૧૨ સુધીમાં ૧૫ ડોલર મોકલનાર દરેકનાં નામ (વધુમાં વધુ ૭૬ નામ) પુસ્તકમાં છપાવવામાં આવશે. સરનામું:

Girish Parikh

Author & Journalist

2813 Cancun Drive

Modesto  CA  95355

E-mail: gparikh05@gmail.com

૧૫ ડોલર મેઈલ કરો કે તરત જ ઈ-મેઈલથી કઈ તારીખે અને અમેરિકાના કયા શહેરમાંથી મેઇલ કર્યા એ જણાવશો. છપાયેલું પુસ્તક મોકલવાનું આપનું પૂરું સરનામું તથા ટેલીફોન નંબર પણ લખશો. (ચેક Girish Parikh નામે લખશો.)

www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આદિલના શેરોનો આનંદ’ વિભાગમાં આપને પુસ્તક વિશે જાણવા મળશે.

આ અપીલ આપના બ્લોગ / વેબ સાઈટ પર પોસ્ટ કરવા તથા સમયિકમાં પ્રગટ કરવા વિનંતી કરું છું.

–ગિરીશ પરીખ
  મંગળવાર, એપ્રિલ ૨૪, ૨૦૧૨, અક્ષય તૃતીયા

આદિલના શેરોનો આનંદ (ચતુર્શબ્દ મુક્તક)

April 23, 2012

માણો

આદિલના

શેરોનો

આનંદ.

નોંધઃ આ લખનાર હાલ આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તકનું પ્રકાશન કરવાની તૈયારી કરવામાં વ્યસ્ત છે. પુસ્તક વિશે માહિતિ મેળવવા ગુજરાતી કે અંગ્રેજીમાં લખોઃ gparikh05@gmail.com .

આદિલને નમ્ર અંજલિઃ ‘આદિલના શેરોનો આનંદ’

November 5, 2011

નવેમ્બર ૬, ૨૦૦૮.

એ દિવસે આપણા લાડીલા શાયર આદિલ મન્સૂરીએ ક્ષર દેહની વિદાય લીધી અને અક્ષરદેહે એ અમર થયા.

અશરફના શિકાગોના સબર્બ શામબર્ગમાં આવેલા ઘરના બેઝમેન્ટમાં જામેલો મુશાયરો જેમાં આદિલ મુખ્ય શાયર હતા એ મોડી રાતે પૂરો થયા પછી હું બેઝમેન્ટમાં સૂઈ ગયો અને મને સ્વપ્નમાં આદિલનાં દર્શન થયાં. હું નીચો નમ્યો અને આદિલે મને આશીર્વાદ આપ્યા.

બીજા દિવસથી હું આદિલને મારા ગઝલ-ગુરુ ગણવા લાગ્યો.

ગુજરાત ફાઉન્ડેશન દ્વારા પ્રગટ થનાર મારું પુસ્તક આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન ને હું મારી તથા પ્રકાશક શ્રી કૌશિક અમીનની નમ્ર અંજલિ ગણું છું.

મારા નમ્ર મત મુજબ ગુજરાતીઓ મોટી સંખ્યામાં આદિલના શેરોનો આનંદ પુસ્તક વાંચશે તો એમણે પણ આદિલને અંજલિ આપી ગણાશે.

અમર આદિલને સદા યાદ કરીએ
‘આદિલના શેરોનો આનંદ’ લઇએ
ગઝલ-મહફિલો જામતી હોય જ્યાં જ્યાં
આદિલનો આત્મા સદાકાળ ત્યાં ત્યાં.

–ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

થતો જાઉં છું ‘આદિલમય’ હવે હું …

મે 18, 2011

આજે મે ૧૮, ૨૦૧૧ બુધવાર  આપણા લાડીલા શાયર આદિલ મન્સૂરીનો ૭૫મો જન્મદિવસ!

આદિલ મન્સૂરીની ક્ષમાપના સાથે લખું છું:
 
અટકીશ શીદ જઈને હવે કંઈ ખબર નથી
આદિલ-અકળ-પ્રવાહમાં ખેંચાતો જાઉં છું!
 
ગુજરાત ફાઉન્ડેશન દ્વારા થોડા જ દિવસમાં પ્રગટ થનાર આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તકના સર્જન દરમિયાન આ લખનાર આદિલના ‘શેરમય’ થઈ ગયો હતો. અને હવે, આદિલના જીવન અને સર્જનનો અભ્યાસ અને ચિંતન કરતાં કરતાં થતો જાય છે ‘આદિલમય’! 
 
આદિલ આનંદ માટે થયો ‘શેરમય’ હું
થતો જાઉં છું ‘આદિલમય’ હવે હું !
 
આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તક મેળવવા માટે girish116@yahoo.com ઇ-સરનામે લખો.
 

–ગિરીશ પરીખ  મોડેસ્ટો  કેલિફોર્નિયા 

ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

ક્ષમાપના

મે 18, 2011
આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તક આજે, બુધવાર, મે ૧૮, ૨૦૧૧ ના રોજ, આદિલના ૭૫મા જન્મદિવસે પ્રકાશિત કરવા ધારેલું. સંજોગવશાત એ થઈ શક્યું નથી તો માફ કરશો.
 
પ્રકાશક ગુજરાત ફાઉન્ડેશનના શ્રી કૌશિક અમીન જેમ બને તેમ જલ્દી પુસ્તકને ભારતમાં મુદ્રિત કરાવશે. મે ૨૦, ૨૦૧૧ સુધીમાં મને મોડેસ્ટો, કેલિફોર્નિયામાં પુસ્તકની નક્લો મળે એવી ગોઠવણ કરવા મેં એમને આગ્રહભરી વિનંતી કરી છે.
 
મા શારદાને, મા ગુર્જરીને, મા ગુજરાતી ભાષાને, તથા આદિલજીને પ્રાર્થના કરું છે કે પુસ્તકની ૫૦ નક્લો મને મોડેસ્ટો, કેલિફોર્નિયામાં મે ૨૦, ૨૦૧૧ સુધીમાં મળે.
 
–ગિરીશ પરીખ
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

   

આદિલના ત્રણ વધુ શેરોનો આનંદ અને એમના વિશે રસમય વાંચન (Draft)

March 19, 2011

(આપણા લાડીલા શાયર આદિલ મન્સૂરીને મે ૧૮, ૨૦૦૬ ના રોજ ૭૦ વર્ષ પૂરાં થયાં ત્યારે એ અરસામાં કેટલાંક શહેરોમાં એમના માનમાં કવિસંમેલનો યોજાયાં હતાં. આ પર્વને નામ આપ્યું હતું ‘સપ્તતિ’. ‘સપ્તતિ’ નામનું સુવેનિયર પણ પ્રગટ કરવામાં આવ્યું હતું.

મે ૧૮, ૨૦૧૧ના રોજ આદિલનો ૭૫મો જન્મદિવસ છે. આ લખનાર માને છે કે આદિલનો અમૃત મહોત્સવ એ અરસામાં કેટલાંક શહેરોમાં ઉજવાશે.

મે ૧૮, ૨૦૧૧ના રોજ પ્રગટ થનાર/થયેલઆદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન  પુસ્તક દ્વારા આ લખનારે આદિલને અંજલી આપી છે. (પુસ્તક મેળવવા પ્રકાશક ગુજરાત ફાઉન્ડેશનનો સંપર્ક કરોઃ __________.  (પ્રાઇસ વગેરે માહિતિ પણ આપવી જોઈએ.))

આદિલ ૭૨ વર્ષ જીવ્યા હતા એટલે ઉપર જણાવેલા પુસ્તકમાં ૭૨ શેરો લીધા છે; અલબત્ત, અક્ષર દેહે આદિલ  અમર છે.

‘સપ્તતિ’ સુવેનિયરમાંથી પસંદ કરેલા આદિલના નીચેના ત્રણ શેરો અને એમના વિશેનાં લખાણ સાથે હવે કુલ ૭૫ શેરો અને એમના વિશેનાં લખાણ થાય છે. આદિલ અમૃત મહોત્સવના સુવેનિયરમાં આ લેખ પ્રગટ કરવા મહોત્સવના આયોજકોને વિનંતી કરુ છું.)

[1] રાતભર જાગતી રહે રાધે
કોઈ ઘનશ્યામ ગઝલમાં આવે (‘સપ્તતિ’, પૃ. ૫૮)
 
કૃષ્ણની વાંસળી વાળા કવિ છે આદિલ (જુઓ ગઝલ “વાંસળી પડઘાય આખ્ખા ગામમાં”. આ ગઝલના પાંચે શેરો અને એમના વિશેનાં લખાણ આદિલના શેરોનો આનંદ પુસ્તકમાં છે.).
 
કૃષ્ણ (ઘનશ્યામ)ને આદિલ આ ગઝલમાં ફરીથી લાવ્યા છે.
 
કૃષ્ણ (ઘનશ્યામ) વિના રાધાને ઉંઘ શી રીતે આવે? કૃષ્ણ વિના ઉદાસ રાધાને કવિ ગઝલ સાંભળવાનું તો નથી કહેતા ને? અને કૃષ્ણમય બનેલી રાધાની ગઝલમાં પણ કૃષ્ણ જ આવે.
 
અને જો રાધા ગઝલ ગાય તો એ કૃષ્ણ-ગઝલ જ હોય!
 
ઘન (વાદળ) જેવા શ્યામ છે કૃષ્ણ અને એટલે તો એમને ઘનશ્યામ કહ્યા છે. પણ એ અમૃતથી ભરેલા વાદળ જેવા છે. ઘનશ્યામ ગઝલમાં આવે એટલે રાધાના હૃદયમાં અમૃત છલકાય.
 
અલબત્ત, રાધાના ઘનશ્યામ તો એક જ છેઃ કૃષ્ણ.
 
પણ કવિ આ શેરમાં ‘કોઈ’ ઘનશ્યામની વાત કરે છે. દરેક સ્ત્રીમાં રાધા વસે છે, અને એનો ઘનશ્યામ છે એનો પ્રિયતમ જે એનો કૃષ્ણ છે.
 
‘દર્શન દો ઘનશ્યામ નાથ મેરી અખિયાં પ્યાસી રે …’ ગીત યાદ આવ્યું. અલબત્ત, સૌના નાથ ‘ઘનશ્યામ’ માટે સ્ત્રીઓ અને પુરુષો, બધાંની આંખો પ્યાસી હોઈ શકે.   

      

(આદિલના શેરોનો આનંદઃ  આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તકમાં ’કૃષ્ણ પ્રેમ’ વિભાગમાં છ શેરો અને એમના વિશેનાં લખાણો વાંચવા વિનંતી કરું છું.)
 
 
[2] આદિલને એની હુંફ રહી આખી જીંદગી
ભીતર ગઝલનું રાતદિવસ તાપણું હતું
 
“બારી હતી, દિવાલ હતી, બારણું હતું” ગઝલનો આ શેર. (‘સપ્તતિ’, પૃ. ૫૫)
 
ગઝલ માટે કેટલો બધો પ્રેમ. ગઝલ આપે છે આદિલને હુંફ. અને આપણને પણ ઉત્કૃષ્ટ ગઝલો હુંફ આપી શકે.
 
‘તાપણું’ શબ્દ કેવો હુંફાળો છે.
 
આદિલ માત્ર ગઝલ-સર્જન કરતા નહોતા — ગઝલ જીવતા હતા. ગઝલમય હતા આદિલ. આદિલ કોણ છે એનો જવાબ એમણે જ એક શેરમાં આપ્યો છે. આ રહ્યો એ શેરઃ
 
_____ (શેર આપો.)
 
(આ શેર વિશે આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન પુસ્તકમાં વાંચવા વિનંતી કરું છું.)  
 
આદિલે આખી જિંદગી ગઝલ-સાધના કરી હતી. એના ફળ રૂપે અનેક ગઝલોનું એમણે સર્જન કર્યું. એમને તો ગઝલોની હુંફ મળી જ, આપણને પણ એમનાથી હુંફ મળી શકે — જો આપણે ગઝલમય થઈએ તો.
 
અને આદિલ જેવા મોટા ગજાના સર્જકને સર્જન દરમિયાન પગંબરીનો અનુભવ થાય.
 
જય શ્રી ગણેશ કરો શેરમય થવાના આદિલના શેરોનો આનંદ પુસ્તકથી અને પછી થાઓ ગઝલમય. અને હુંફ રહેશે જીવનભર. 
 
(હેમેન શાહનોના શેર ટાંકો.)
 
 
વ્યથિત હો હૃદય, કઇં જ સૂજે નહીં,તો
ગઝલ સાંભળી છે પ્રસંગે-પ્રસંગે 
                         –ડૉ. મહેશ રાવલ 
 
 
[3] સ્વપ્નમાં જ્યાં હોઠ સ્પર્શ્યા હોઠને
જીંદગીભરની તરસ ભૂલી ગયા
 
“સાથે જીવેલાં વરસ ભૂલી ગયા” ગઝલનો આ શેર.  (‘સપ્તતિ’, p. 46)
 
શ્રૃંગાર રસનો ઘૂંટ પાય છે આ શેર !
 
કવિ સ્વપ્નમાં હોઠ હોઠને સ્પર્શવાની વાત કરે છે. જિંદગી પણ સ્વપ્ન જ છે ને !     
 
શેરની પ્રથમ પંક્તિમાં માત્ર પાંચ જ શબ્દોમાં કવિએ ઓષ્ઠોના મધુર મિલનનું કેવું કમનીય ચિત્ર કંડાર્યું છે. જીંદગીભરની તરસ ભુલાવનાર એ હોઠોનો સ્પર્શ કેવો હશે ? એ ક્લ્પના કરવાનું પણ કેટલું રોમાંચક છે !
 
કવિ જિંદગીભરની તરસ છીપાવવાની વાત નથી કરતા પણ ભૂલવાની વાત કરે છે. જિંદગીભરની તરસ ભુલ્યા પછી ફરી યાદ આવે ત્યારે શું? એ ભૂલવા માટે ફરીથી એ જ જીવનસ્વપ્નમાં ઓષ્ઠોનો સ્પર્શ.
 
શેરનું ચિંતન કરશો તો પ્રશ્ન થશેઃ જિંદગીભરની પ્યાસ છીપાવવી કેવી રીતે?
  
એ પ્રશ્નનો જવાબ ભાવકે જ શોધવાનો છે!
 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

 

 

‘શેરોનો આનંદ’ શ્રેણી વિશે વધુ વિચારો

March 17, 2011
નવ શાયરોનાં, દરેકના પસંદ કરેલા શેરો અને એ વિશેનાં રસમય લખાણોનું એક પુસ્તક, એમ નવ  પુસ્તકોનું સર્જન થઈ શકે તથા યોગ્ય પ્રકાશક મળતાં એમનું પ્રકાશન થઈ શકે. બધાં પુસ્તકો એક સાથે પ્રગટ કરવાને બદલે દર મહિને એકેક પુસ્તક પ્રગટ કરી શકાય. પ્રગટ થયેલા પુસ્તક કે પુસ્તકોના વેચાણમાંથી પૈસા આવતાં એનું રોકાણ નવું પુસ્તક પ્રગટ કરવામાં થઈ શકે.
 
આ પોસ્ટમાં છેલ્લે,  શ્રેણીના દસ શાયરોનાં પ્રથમ નામ (first name) કે ઉપનામ આપ્યાં છે. (કૌંસમાં પૂરાં નામ આપ્યાં છે.) પુસ્તકો વાંચતી વખતે ઘણા વાચકોને શાયરો સાથે આત્મિયતાનો અનુભવ થશે એમ માનું છું, અને આત્મિયતા આવતાં પ્રથમ નામ કે ઉપનામ જ હોઠે જલ્દી આવશે. જો કે દરેક પુસ્તકના શીર્ષક અને/અથવા ઉપશીર્ષકમાં, અને બને ત્યાં પુસ્તકમાં પણ શાયરનું  આખું નામ આપવા પ્રયત્ન થશે.  આ અંગે હયાત શાયરોના અને વાચકોના વિચારો જાણવા આતુર છું.)     
 
વિચાર તો કુલ દસ પુસ્સ્તકોની ’શેરોનો આનંદ’ શ્રેણી નો છે.  આ વિષય પરની અગાઉની પોસ્ટમાં જણાવ્યા મુજબ મે ૧૮, ૨૦૧૧ના રોજ, આપણા લાડીલા શાયર આદિલ મન્સૂરીના ૭૫મા જન્મદિવસે પ્રગટ થનાર આદિલના શેરોનો આનંદ: આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન  પુસ્તકને ’શેરોનો આનંદ’ શ્રેણીનું પ્રથમ પુસ્તક ગણી શકાય.
 
પ્રભુ, મા સરસ્વતી, તથા મા ગુર્જરીની કૃપા અને આદિલની દુઆઓથી જ આ લખનાર આદિલના શેરોનો આનંદ  પુસ્તકનું સર્જન અને સંપાદન કરી શક્યો છે. 
 
‘શેરોનો આનંદ’ શ્રેણી આદિલ મન્સૂરીને અર્પણ કરી શકાય. અલબત્ત, દરેક પુસ્તક અન્ય વ્યક્તિ(ઓ)ને અર્પણ થઈ શકે.
 
દરેક પુસ્તકમાં શાયરે જેમાં ભગ લીધો હોય એ મુશાયરાઓના, અન્ય તસ્વીરો સાથે, રંગીન, વીન્ટેજ ફોટા આપી શકાય. દાખલા તરીકે વિવેક મનહર ટેલરના શેરોનો આનંદ પુસ્તકમાં ’ચાર કડીઓ’માંથી ફોટા અને માહિતિ આપી શકાય (વિવેકની ‘ચાર કડીઓ’ વિશે અગાઉ આ બ્લોગ પર પોસ્ટ કર્યું છે.)
 
શાયરો:
  
અદમ (અદમ ટંકારવી)
અશરફ-મધુમતી (ડો. અશરફ ડબાવાલા – ડો. મધુમતી મહેતા)
આદિલ (આદિલ મન્સૂરી)
ઘાયલ (અમૃત ઘાયલ)
ચિનુ (ડો. ચિનુ મોદી)
મનોજ (મનોજ ખંડેરિયા) 
મરીઝ
મહેશ (ડો. મહેશ રાવલ)
વિવેક (ડો. વિવેક મનહર ટેલર)
શયદા
 
Indeed, it will be a challenge to create nine books of the ‘Sherono Ananda’ series , each of the high quality like Adilna Sherono Ananda. This author-compiler has conviction that the challenge can be met. 
ખાસ સૂચનાઃ મારા આ બ્લોગ તથા અન્ય બ્લોગો/વેબ સાઈટો પર પોસ્ટ થતાં મારાં લખાણોની લીંક તમે મોકલી શકો છો કે આપી શકો છો, પણ કોપી પેસ્ટ કરીને મોકલશો નહીં કે એમનો એ રીતે ઉપયોગ કરશો નહીં.
(આ તથા મારાં અન્ય લખાણો અંગે આપના વિચારો જાણવા આતુર છું. પ્રતિભાવ જરૂર મોકલતા રહેશો.)
Copyright (c) 2011 by Girish Parikh. All Rights Reserved.
  ગુજવાણી લોગો તમારા બ્લોગ પર લગાવી તમારો લેખ અહીં જલ્દી પહોંચાડો.

  

 

Follow

Get every new post delivered to your Inbox.